KuberaNowLogo
Saturday, 19/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

પીએમ મોદીની હાકલ પણ કામ ના આવી, સોનાની આયાત 90 અબજ ડોલરે પહોંચશે, ઉદય કોટકે આપી ચેતવણી

નાણાકીય વર્ષ 2027માં સોનાની આયાતને પર નજર રાખવા સમર્પિત સમિતિ બનાવવા સરકારને કોટકની સલાહ

KuberaNow
desk@kuberanowPublished On : 19 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gold Import Uday Kotak
AI Generated Image

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાની શરૂઆતમાં દેશવાસીઓને સોનાની ખરીદી શક્ય હોય એટલી ઓછી કરવા માટે હાકલ કરી હતી. આમ છતાં દેશમાં સોનાની આયાત સતત વધી રહી છે. સોનાની વધતી આયાત ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક છે અને સરકારે તેની આયાત પર નિયંત્રણ માટે વિશેષ સમિતિ બનાવવી જોઈએ તેમ ઉદય કોટકે સલાહ આપી છે. તેમણે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 2027માં દેશનું ગોલ્ડ ઈમ્પોર્ટ બિલ 88થી 90 અબજ ડોલરને સ્પર્શી શકે છે, જેનાથી સરકાર પર વધારાનું દબાણ ઊભું થઈ શકે છે.


ઉદય કોટકની ચેતવણી સ્પષ્ટપણે સંકેત આપે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત મે 10-11 અને પછી આ મહિનાની શરૂઆતમાં દેશવાસીઓને સોનાની ખરીદી ટાળવા માટે કરેલી હાકલ કોઈ કામ આવી નથી અને લોકોએ મોટાપાયે સોનાની ખરીદી ચાલુ રાખી છે.


સરકારે સોનાની આયાત બિલના વધતા બોજની સમસ્યાનો ઉકેલ લાવવો પડશે

નવી દિલ્હીમાં વિકસિત ભારત તરફ આગળ વધતા ઈન્ડિયાના પ્રવાસને ધિરાણ પરની પરિષદમાં બોલતા ઉદય કોટકે જણાવ્યું હતું કે, ઘરગથ્થુ સોનું ભારતીયો માટે નોંધપાત્ર પારિવારિક સંપત્તિનું સર્જન કરે છે, પરંતુ તે મોટાભાગે ઉત્પાદક આર્થિક પ્રવૃત્તિઓથી બહાર જ રહે છે. સોના માટે લોકોની માગને ધ્યાનમાં રાખીને સરકારે સોનાની આયાત બિલના વધતા બોજની સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.


ઉદય કોટકે કહ્યું કે, ભારતની ચાલુ ખાતાની ખાધ નાણાકીય વર્ષ 2026માં 25 અબજ ડોલરની આજુબાજુ છે જ્યારે સોનાની કુલ આયાત 72 અબજ ડોલર જેટલી છે. સોનાને બાદ કરવામાં આવે તો ભારતે ચાલુ ખાતામાં વિક્રમી સરપ્લસ નોંધાવી છે. નાણાયી વર્ષ 2027માં ચાલુ ખાતાની ખાધ 60 અબજ ડોલર હોઈ શકે છે. જોકે, ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 90 ડોલરના સ્તરે હોય અને સોનાની આયાત વધીને 88થી 90 અબજ ડોલર થાય તેમ માનીને આ અંદાજ વ્યક્ત કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે, સોના અંગે વ્યક્તિગત જરૂરિયાતોની અવગણના કર્યા વિના ઘરેલુ સોનાની સંપત્તિને કેવી રીતે અર્થતંત્ર સાથે વધુ સારી રીતે એકીકૃત કરી શકાય તેની સમિતિએ ચકાસણી કરવી જોઈએ.



આર્થિક વિકાસ માટે મૂડી બજાર પર નિર્ભરતા ચિંતાજનક

ભારત આર્થિક વિકાસ માટે વધુ ને વધુ પ્રમાણમાં મૂડી બજારો પર નિર્ભર બન્યું છે. આવા સમયે ઉદય કોટકે અતિશય નાણઆકીયકરણ સામે સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યં કે, નાણાકીય બજારોએ ટ્રેડિંગ પ્રવૃત્તિ અને વોલ્યમુનું વર્ચસ્વ વધારવાના બદલે મૂડી સર્જન પર ધ્યાન કેન્દરીત કરવું જોઈએ. વ્યાપક આર્થિક આઉટલૂકના સંદર્ભમાં ઉદય કોટકે કહ્યું કે, ભારતે વૈશ્વિક અનિશ્ચિતતાના વર્તમાન સમયનો ઉપયોગ સુધારા અને રોકાણમાં ગતિ લાવવા માટે કરવો જોઈએ. સરકારે આયાતી વસ્તુઓ અને સેવાઓ પર તેની નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. આ સાથે ભારતે વૈશ્વિક બજારોમાં માગ હોય તેવા ઉત્પાદનો બનાવવાની ક્ષમતા ઊભી કરવી જોઈએ.


તેમણે નાણાકીય નિયમન અને વિકાસ વચ્ચે સંતુલનની પણ હાકલ કરી હતી. તેમણે કહ્યું, નિયમનકારોએ બિનજરૂરી રીતે વૃદ્ધિમાં અવરોધો ઊભા કર્યા વિના નાણાકીય સ્થિરતા જાળવી રાખવી જોઈએ. તેમણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સંકલન પર ભાર મૂકતા દલીલ કરી કે બંને વચ્ચે સંકલન વધુ સારું અને મજબૂત હશે તો ભારતને બાહ્ય આર્થિક અને ભૂ-રાજકીય દબાણોનો સામનો કરવામાં મદદ મળશે.


બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કંપનીઓ

ઉદય કોટકે ભારતીય કંપનીઓને હિન્દુ ભગવાનોની ત્રિમૂર્તી - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કેટેગરીમાં વર્ગીકૃત કરી હતી. તેમણે કહ્યું, મોટી કંપનીઓ મોટાભાગે વિષ્ણુ કેટેગરીમાં આવે છે. આ કંપનીઓએ નવા ક્ષેત્રોમાં ડાયવર્સિફાઈ કરવાના બદલે તેમના વર્તમાન કારોબાર કે જેમાં તેઓ વધુ સાનુકૂળ છે તેમાં વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, બ્રહ્મા કેટેગરીમાં આવતી કંપનીઓએ સર્જન અને નવીનતા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. અંતે ‘મહેશ’ કેટેગરી એવા કારોબારોનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિક્ષેપકારક છે અને વર્તમાન બજારોને બદલી નાંખવાની ક્ષમતા ધરાવે છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. HDFC Bank 2.5 ટકા વધતાં બેન્ક નિફટી ઊચકાયો
  2. BSE સેન્સેક્સ CASના લીધે આંચકાજનક રીતે ફ્લેટ બંધ, નિફ્ટી વધીને બંધ આવ્યો
  3. Jefferies Buy Rating: Adani ગ્રુપની 4 કંપનીઓ પર Jefferiesનો બુલિશ વ્યૂ, 49% સુધીના ઉછાળાની શક્યતા
  4. શાપૂરજી પલોનજી ગ્રુપના વડાએ ટાટા સન્સનું લિસ્ટિંગ કરાવવાના રિઝર્વ બેન્કના નિર્ણયને આવકાર્યો

Economy

See more
  1. FCNR (B) ડિપોઝિટ સ્કીમ બેન્કો માટે પાંચ લાખ કરોડનો Notional Profit કરી શકે
  2. ડાયરેક્ટ ટેક્સ કલેકશન્સમાં 13%નો વધારો, સપ્ટેમ્બર મધ્યાંતર સુધી ₹12.12 લાખ કરોડની આવક
  3. Moody’sએ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 7% કર્યો
  4. RBIએ બજારમાંથી ₹50,000 કરોડની વધારાની લિક્વિડિટી ખેંચી
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. આયુષ્માન કાર્ડ અપડેટ કરતા પહેલા આ 5 વાતો જાણો
  2. Gold Investment : સોનું રૂ. 3.20 લાખને પાર જશે, કોણે કરી આગાહી?
  3. EPFO: કર્મચારી બેરોજગાર થાય તો કેટલી રકમ PFમાંથી ઉપાડી શકશે
  4. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM