KuberaNowLogo
Saturday, 19/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Moody’sએ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 7% કર્યો

મૂડીઝે જણાવ્યું કે ભારત અન્ય તમામ G-20 અર્થતંત્રો તથા સમાન ક્રેડિટ રેટિંગ ધરાવતા ઉભરતા બજારના દેશોની સરખામણીમાં વધુ ઝડપથી વૃદ્ધિ કરે તેવી શક્યતા છે.

KuberaNow
desk@kuberanowPublished On : 18 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
India GDP Growth Rate
India GDP Growth RateAI Generated Image

ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે (Moody’s) નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના વાસ્તવિક GDP વૃદ્ધિદર (Growth rate)નો અંદાજ 6%થી વધારીને 7% કર્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ઊર્જા સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્રે દર્શાવેલી સ્થિતિસ્થાપકતાને ધ્યાનમાં રાખીને સુધારો કરાયો છે. મૂડીઝે જણાવ્યું કે ભારત અન્ય તમામ G-20 અર્થતંત્રો તથા સમાન ક્રેડિટ રેટિંગ ધરાવતા ઉભરતા બજારના દેશોની સરખામણીમાં વધુ ઝડપથી વૃદ્ધિ કરે તેવી શક્યતા છે. જોકે, અર્થતંત્ર સામે ઊભાં રહેલાં જોખમો હજુ સંપૂર્ણપણે દૂર થયાં નથી.

 

Q1માં GDP વૃદ્ધિ દર 7.8% નોંધાયો

 

સરકાર દ્વારા ગયા મહિને જાહેર કરાયેલા આંકડા પ્રમાણે એપ્રિલથી જૂન 2026ના ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્ર 7.8%ના દરે વધ્યું હતું. આ વૃદ્ધિ બજારની અપેક્ષા કરતાં વધુ રહી હતી. રોકાણ અને ઉત્પાદન પ્રવૃત્તિમાં આવેલા વધારાએ અર્થતંત્રને મુખ્ય ટેકો આપ્યો હતો. ખાણકામ અને ગ્રાહકલક્ષી સેવાઓમાં નબળાઈ જોવા મળી હોવા છતાં મજબૂત રોકાણ અને ઉત્પાદનના કારણે તેની અસર ઘણી હદ સુધી સરભર થઈ હતી. પ્રથમ ક્વાર્ટર (Q1)ના મજબૂત આંકડા બાદ મૂડીઝે સમગ્ર નાણાકીય વર્ષ માટેના વૃદ્ધિ અંદાજમાં એક ટકા પોઇન્ટનો વધારો કર્યો છે.

 

વૈશ્વિક ઊર્જાના ભાવમાં થતો વધારો સૌથી મોટું જોખમ

 

મૂડીઝ અનુસાર પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા (Global Energy)ના ભાવમાં થતો વધારો ભારત માટે મહત્વનું જોખમ છે. ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. તેથી તેલના ઊંચા ભાવથી આયાત ખર્ચ, ફુગાવો અને સરકારના નાણાકીય સંતુલન પર દબાણ વધી શકે છે. અલ નીનો સાથે જોડાયેલા હવામાન જોખમને કારણે ખાદ્યપદાર્થોના ભાવમાં પણ દબાણ સર્જાઈ શકે છે. ખાદ્ય અને ઊર્જા ફુગાવો વધે તો પરિવારોની ખરીદશક્તિ ઘટી શકે છે.

 

સબસિડી ખર્ચ વધવાની શક્યતા

 

મૂડીઝે નોંધ્યું કે પશ્ચિમ એશિયાના આંચકા સામે ભારત સરકારનો અત્યાર સુધીનો રાજકોષીય નીતિગત પ્રતિભાવ (Fisal policy response) સંતુલિત રહ્યો છે. જોકે, ઊર્જાના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે તો સરકારને ઇંધણ અથવા અન્ય જરૂરી ચીજવસ્તુઓ માટે વધારાનો ટેકો આપવો પડી શકે છે. તેનાથી સબસિડી પાછળનો ખર્ચ વધવાની શક્યતા છે. બીજી તરફ, સંરક્ષણ અને માળખાગત સુવિધાઓ પાછળ વધતા ખર્ચને કારણે સરકાર માટે રાજકોષીય ખાધ ઘટાડવાનો માર્ગ વધુ મુશ્કેલ બની શકે છે.


આ પણ વાંચો: ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. HDFC Bank 2.5 ટકા વધતાં બેન્ક નિફટી ઊચકાયો
  2. BSE સેન્સેક્સ CASના લીધે આંચકાજનક રીતે ફ્લેટ બંધ, નિફ્ટી વધીને બંધ આવ્યો
  3. Jefferies Buy Rating: Adani ગ્રુપની 4 કંપનીઓ પર Jefferiesનો બુલિશ વ્યૂ, 49% સુધીના ઉછાળાની શક્યતા
  4. શાપૂરજી પલોનજી ગ્રુપના વડાએ ટાટા સન્સનું લિસ્ટિંગ કરાવવાના રિઝર્વ બેન્કના નિર્ણયને આવકાર્યો

Economy

See more
  1. ડાયરેક્ટ ટેક્સ કલેકશન્સમાં 13%નો વધારો, સપ્ટેમ્બર મધ્યાંતર સુધી ₹12.12 લાખ કરોડની આવક
  2. Moody’sએ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 7% કર્યો
  3. RBIએ બજારમાંથી ₹50,000 કરોડની વધારાની લિક્વિડિટી ખેંચી
  4. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. આયુષ્માન કાર્ડ અપડેટ કરતા પહેલા આ 5 વાતો જાણો
  2. Gold Investment : સોનું રૂ. 3.20 લાખને પાર જશે, કોણે કરી આગાહી?
  3. EPFO: કર્મચારી બેરોજગાર થાય તો કેટલી રકમ PFમાંથી ઉપાડી શકશે
  4. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM