હવે શહેરના નવા વિસ્તારો સુધી પહોંચશે મેટ્રો, ફેઝ-3માં 41 સ્ટેશનની યોજના
2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોના ત્રીજા તબક્કાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ DPRને લીલી ઝંડી મળી છે અને હવે કેબિનેટ મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ પહેલાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત કરવા મેટ્રોના ત્રીજા તબક્કાની તૈયારી આગળ વધી રહી છે. અહેવાલ મુજબ ફેઝ-3 માટે કુલ 60 કિમીનો નવો રૂટ તૈયાર કરવાની યોજના છે, જેમાં 41 એલિવેટેડ સ્ટેશન બનાવવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ અહેવાલને લીલી ઝંડી મળી છે અને હવે કેબિનેટ મંજૂરી મળવાની પ્રક્રિયા આગળ વધી રહી છે.
થલતેજથી ગોધાવી રૂટને પ્રથમ પ્રાથમિકતા
કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ફેઝ-3માં સૌથી પહેલાં થલતેજ ગામથી શીલજ થઈ ગોધાવીના SWASA સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધીનો રૂટ વિકસાવવાની તૈયારીમાં છે. આ રૂટથી પશ્ચિમ અમદાવાદના ઝડપથી વિકસતા વિસ્તારોને મેટ્રો સાથે સીધું જોડાણ મળી શકે છે. સાથે સ્પોર્ટ્સ સ્થળો, ગીચ વસતીવાળા વિસ્તારો, બજારો, રહેણાક વિસ્તારો અને હોસ્પિટલોને પણ મેટ્રો નેટવર્ક સાથે જોડવાની યોજના છે.
કોટેશ્વરથી એરપોર્ટ માટે અલગ મેટ્રો જોડાણ
ગાંધીનગર તરફથી આવતા મુસાફરો માટે કોટેશ્વરથી એરપોર્ટ સુધી અલગ મેટ્રો લાઇન બનાવવાની યોજના છે. આ માર્ગ પર આશરે 600 મીટરનો નદી પરનો પુલ અને 4 એલિવેટેડ સ્ટેશન બનાવાશે, જ્યારે એરપોર્ટનું મેટ્રો સ્ટેશન ભૂગર્ભ રહેશે. 200 એકરમાં વિકસતા સરદાર પટેલ એન્ક્લેવ વિસ્તારમાં પણ 2થી 3 મેટ્રો સ્ટેશનની યોજના હોવાનું અહેવાલમાં જણાવાયું છે. એરપોર્ટ જોડાણને એપ્રિલ-મે 2030 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
જૂના શહેર માટે સર્ક્યુલર રૂટની પણ યોજના
અમદાવાદના મધ્ય અને જૂના વિસ્તારોને જોડવા માટે સર્ક્યુલર મેટ્રો રૂટની યોજના પણ તૈયાર થઈ રહી છે. આ રૂટ માટે જમીન પરીક્ષણની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે DPR સંબંધિત પ્રક્રિયા આગળ વધી રહી છે. સૂચિત રૂટમાં જૂના વાડજ, અમરાઈવાડી, ગાંધી આશ્રમ, મેઘાણીનગર અને નરોડા-નારોલ તરફના વિસ્તારોને જોડવાની યોજના છે.
મેટ્રો નેટવર્ક 138 કિમીથી વધુ થઈ શકે
હાલ અમદાવાદ મેટ્રોના ફેઝ-1 અને ફેઝ-2 મળીને 68 કિમીથી વધુનું નેટવર્ક કાર્યરત હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ફેઝ-3 પૂર્ણ થયા બાદ શહેરનું કુલ મેટ્રો નેટવર્ક 138 કિમીથી વધુ થઈ શકે છે. હાલ સામાન્ય દિવસોમાં પણ અમદાવાદ મેટ્રોમાં દરરોજ સરેરાશ આશરે 2 લાખ મુસાફરો મુસાફરી કરતા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો
સાથે સાથે અમને ફોલો કરો
https://www.instagram.com/kuberanow/
https://www.facebook.com/profile.php?id=61590120462544
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
https://www.youtube.com/@KuberaNow
આ પણ વાંચો: 5જી નેટવર્કની ક્ષમતા વધારવા સરકાર અને કંપનીઓનું નવું પ્લાનિંગ, યુઝર્સને થશે ફાયદો

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
- સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
- અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવોમાં ઉછાળો, બ્રેન્ટ $90 પ્રતિ બેરલ નજીક
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા ઉદ્યોગોમાં નવા રોકાણની શક્યતા વધી: BoB રિપોર્ટ

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
