KuberaNowLogo
Friday, 11/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઊર્જા સંકટ વચ્ચે ગુજરાતનું ગેસ મોડલ: 85,000 ઘરને જોડાણ અપાયા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટ વચ્ચે ગુજરાતમાં 85,000થી વધુ નવા ઘરેલુ PNG જોડાણ અને 1,100થી વધુ વાણિજ્યિક જોડાણ આપવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર અને ગેસ કંપનીઓના હસ્તક્ષેપથી મોરબીના સિરામિક ઉદ્યોગમાં પણ ઝડપી સુધારો નોંધાયો છે.

KuberaNow
desk@kuberanowPublished On : 11 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
PNG Connection
PNG ConnectionAI Generated Image

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટ વચ્ચે ગુજરાતમાં 85,000થી વધુ નવા ઘરેલુ PNG જોડાણ અને 1,100થી વધુ વાણિજ્યિક જોડાણ આપવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર અને ગેસ કંપનીઓના હસ્તક્ષેપથી મોરબીના સિરામિક ઉદ્યોગમાં પણ ઝડપી સુધારો નોંધાયો છે. બંધ થયેલાં 670થી વધુ કારખાનાં દોઢ મહિનામાં ફરી શરૂ થયાં હોવાનો સરકારે દાવો કર્યો છે.


ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક બાદ સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક ગેસ અને PNGની ઉપલબ્ધતા સાથે નવા જોડાણોની સ્થિતિની સમીક્ષા કરી છે. 1થી 17 માર્ચ દરમિયાન ગુજરાત એનર્જી લિમિટેડે લગભગ 40,000 નવા ઘરેલુ PNG જોડાણ આપ્યાં હતાં. આ સમયગાળામાં અગાઉ બંધ થયેલાં આશરે 13,000 જોડાણ ફરી શરૂ કરવામાં આવ્યાં હતાં. કંપનીએ 500 નવા વાણિજ્યિક ગેસ જોડાણ પણ આપ્યાં હતાં.

 

હોસ્પિટલ, છાત્રાલય, શાળા, કોલેજ અને કારખાનાની કેન્ટીન જેવી જાહેર ઉપયોગની સંસ્થાઓને ગેસ પુરવઠામાં પ્રાથમિકતા આપવામાં આવી છે. GEL દ્વારા આવી 110 સંસ્થાઓને જોડાણ અપાયાં, જ્યારે અન્ય સિટી ગેસ કંપનીઓએ વધારાની 225 સંસ્થાઓને ગેસ નેટવર્ક સાથે જોડી હતી.

 

મોરબીના સિરામિક ઉદ્યોગને રાહત

 

વૈશ્વિક ઊર્જા સંકટ દરમિયાન કાચા માલના વધેલા ભાવ અને પરિવહન ખર્ચની સૌથી ગંભીર અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી હતી. માર્ચના બીજા પખવાડિયામાં અનેક ઉત્પાદકોએ સ્વૈચ્છિક રીતે ઉત્પાદન સ્થગિત કર્યું હતું. 31 માર્ચ સુધી માત્ર 83 કારખાનાં કાર્યરત રહ્યાં હતાં. રાજ્ય સરકાર અને GELના હસ્તક્ષેપ બાદ સ્થિતિમાં ઝડપથી સુધારો થયો હતો. દોઢ મહિનામાં 670થી વધુ કારખાનાં ફરી શરૂ થયાં. હાલમાં મોરબીના આશરે 865 ઔદ્યોગિક એકમો GELની ગેસ પાઇપલાઇન સાથે જોડાયેલા છે.

 

કેમ મહત્ત્વપૂર્ણ?

 

મોરબીનો સિરામિક ઉદ્યોગ નિકાસ, રોજગાર અને ગુજરાતના ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્ત્વનો છે. ગેસ પુરવઠાની સાતત્યતા કારખાનાં ફરી શરૂ રાખવા ઉપરાંત ઉત્પાદન ખર્ચ અને નિકાસ ઓર્ડરની સમયસર પૂર્તિ માટે પણ નિર્ણાયક રહેશે.


અલ નિનોની અસર અને અખાતી યુદ્ધનાં કારણે દાડમની નિકાસમાં ઘટાડો


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. RBIનો મોટો નિર્ણય, બજારમાંથી ₹1 લાખ કરોડ પાછા ખેંચશે
  2. NPCIનો FY26માં ચોખ્ખો નફો 12% ઘટીને ₹1,362 કરોડ થયો, આવક 21% વધી
  3. સેન્સેક્સ તળિયાથી 600 પોઇન્ટ અને નિફટી 200 પોઇન્ટ સુધરવા છતાં બજાર ઘટીને બંધ આવ્યું
  4. Silver ETFs : વૈશ્વિક બજારમાં વેચવાલીથી સિલ્વર ઈટીએફમાં 3 ટકાથી વધુનો કડાકો

Economy

See more
  1. India's Forex Reserves: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં રેકોર્ડ ઉછાળો, ₹69.1 લાખ કરોડને પાર
  2. India Digital Economy : ભારતની B2B ડિજિટલ રેલ MSME માટે રૂ. 60 લાખ કરોડનું ધિરાણ અંતર દૂર કરશે
  3. અલ નિનોની અસર અને અખાતી યુદ્ધનાં કારણે દાડમની નિકાસમાં ઘટાડો
  4. ખાંડ ઉત્પાદન ઘટવાની શક્યતા! ભારતમાં 2027ની સીઝનમાં 2.9થી 3.1 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. ITR Refund: ITR રિફંડમાં વિલંબ કેમ? આ 6 ભૂલો હોઈ શકે જવાબદાર
  2. 8th Pay Commission: લેવલ 7ના પેન્શનધારકોના પેન્શનમાં કેટલો થશે વધારો?
  3. UPI Payment: આ એક કામ કરી લેજો નહીંતર, 15 સપ્ટેમ્બરથી UPI-QR પેમેન્ટ થઇ જશે બંધ!
  4. EPFO મેમ્બર્સ માટે રાહતના સમાચાર, એક જ ક્લિકથી થઇ જશે એકાઉન્ટ વેરીફાઈ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM