'હનુમાન અંશ'નો કમાણીમાં 'હનુમાન' કૂદકો, સિક્વલમાં બતાવશે આધ્યાત્મિક યાત્રા
ફિલ્મે પ્રમોશનલ ઈવેન્ટ, માર્કેટિંગ કે મેઈનસ્ટ્રીમ પ્રવાહ પર આધાર રાખ્યા વિના સફળતાપૂર્વક દર્શકોને થિયેટરોમાં આકર્ષ્યા છે

આધ્યાત્મિક ફિલ્મ 'હનુમાન અંશ' કોઈપણ મોટા પ્રમોશનલ ઝુંબેશ વિના થિયેટરોમાં રિલીઝ થઈ હોવા છતાં તેને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. કોઈ પ્રમોશનલ ઈવેન્ટ અથવા માર્કેટિંગ કર્યા વિના દર્શકોની પોઝિટિવ સમીક્ષાઓને કારણે ફિલ્મે બોક્સ ઓફિસ પર મજબૂત સ્થાન બનાવ્યું છે. 7 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર ₹60 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. આ નોંધપાત્ર સફળતાને જોતાં દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ સિક્વલની જાહેરાત કરી હોવાની વિગતો સામે આવી છે. જોકે, હજુ સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. 2026માં 'ધુરંધર 2' બાદ 'હનુમાન અંશ' બીજી બ્લોકબસ્ટર ફિલ્મ બની છે.
સિક્વલમાં નીમ કરોલી બાબાની આધ્યાત્મિક યાત્રા દર્શાવાશે
દિગ્દર્શકે પુષ્ટિ કરી છે કે ફિલ્મનું બીજું પ્રકરણ હાલમાં લેખન અને ડેવલપમેન્ટના તબક્કામાં છે. જાણવા મળ્યું છે કે આગ્રાના એક સિનેમા હોલમાં વિશાલ ચતુર્વેદીએ દર્શકો સાથેની વાતચીત દરમિયાન ખુલાસો કર્યો કે 'હનુમાન અંશ 2' નીમ કરોલી બાબાના જીવન સાથે સંકળાયેલા ઘણા મહત્વપૂર્ણ સ્થળો દર્શાવવામાં આવશે. ફિલ્મની વાર્તા તેમના જન્મસ્થળ ફિરોઝાબાદથી શરૂ થઈ આગ્રા અને મથુરા જેવા તેમની આધ્યાત્મિક યાત્રાના મુખ્ય કેન્દ્રોની આસપાસ ફરશે.
બિન-વાણિજ્યિક ફિલ્મ માટે મજબૂત બોક્સ ઓફિસ પ્રદર્શન
પ્રમોશનલ ઈવેન્ટ, માર્કેટિંગ કે મેઈનસ્ટ્રીમ પ્રવાહ પર આધાર રાખ્યા વિના ફિલ્મે સફળતાપૂર્વક દર્શકોને થિયેટરોમાં આકર્ષ્યા છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે જણાવેલા આંકડાઓ અનુસાર, ચોથા સપ્તાહમાં મંગળવાર સુધીમાં ₹51.68 કરોડનું કલેક્શન કર્યુ છે. આ ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં ₹63.82 કરોડનો ગ્રોસ કલેક્શન કર્યુ છે, જ્યારે તેનું નેટ કલેક્શન ₹54.13 કરોડ વટાવી ગયું છે. ફિલ્મ રિલિઝ થયાનાં પ્રથમ દિવસે ₹8 લાખની કમાણી કરી હતી, જ્યારે 26મા દિવસે ₹50 કરોડની કમાણી કરી છે. વિશ્લેષકોનાં મતે ઓછા બજેટવાળી આધ્યાત્મિક ફિલ્મ માટે આ કમાણી ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે.
આ પણ વાંચો: જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો


