આજે જાહેર ક્ષેત્રની બેંકોમાં હડતાળ, કેટલા દિવસ કામકાજ બંધ રહેશે
આ રીતે 11 સપ્ટેમ્બરની હડતાળથી શરૂ કરીને 15 સપ્ટેમ્બર સુધીના પાંચ દિવસના સમયગાળામાં માત્ર એક દિવસ સામાન્ય બેન્કિંગ કામકાજ મળવાની શક્યતા છે. હડતાળ પાછળની મુખ્ય માંગ અઠવાડિયામાં પાંચ દિવસ બેન્કિંગ કામકાજ લાગુ કરવાની છે.

બેંક યુનિયનો આજથી 'પાંચ દિવસીય બેંકિંગ સપ્તાહ'ની માંગ અને અન્ય પડતર મુદ્દાઓને લઈને દેશવ્યાપી હડતાળ પાળી રહ્યા છે. બેંક કર્મચારીઓ અને અધિકારીઓના સાત યુનિયનોના સંગઠન 'યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ'એ 11 સપ્ટેમ્બરે એક દિવસીય હડતાળનું આહ્વાન કર્યું છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), યુકો બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર સહિતની જાહેર ક્ષેત્રની અનેક બેંકોએ ગ્રાહકોને જાણ કરી છે કે જો કર્મચારીઓ હડતાળમાં ભાગ લેશે તો શાખા અને કાર્યાલયની કામગીરી પ્રભાવિત થઈ શકે છે. બેંકોએ જણાવ્યું છે કે તેમણે કામગીરી ચાલુ રાખવા માટે વ્યવસ્થા કરી છે, પરંતુ સાથે જ ચેતવણી પણ આપી છે કે કર્મચારીઓની સહભાગિતાના આધારે સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે. હડતાળ પાછળની મુખ્ય માંગ અઠવાડિયામાં પાંચ દિવસ બેન્કિંગ કામકાજ લાગુ કરવાની છે.
11 સપ્ટેમ્બરની હડતાળ બાદ 12 સપ્ટેમ્બર બીજો શનિવાર છે. બેન્કોમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. ત્યારબાદ 13 સપ્ટેમ્બર રવિવાર હોવાથી બેન્કોની નિયમિત સાપ્તાહિક રજા રહેશે. એટલે 11થી 13 સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ બ્રાન્ચ આધારિત બેન્કિંગ કામ પર અસર રહેશે. 14 સપ્ટેમ્બર સોમવારે પણ ગણેશ ચતુર્થી હોવાથી બેંક બંધ રહેવાની શક્યતા છે. ઘણા બધા રાજ્યોમાં ગણેશ ચતુર્થીની રજા રહેશે. આગામી પાંચ દિવસના સમયગાળામાં મોટાભાગના દિવસો બેન્કિંગ સેવાઓ પર અસર રહેશે. આ રીતે 11 સપ્ટેમ્બરની હડતાળથી શરૂ કરીને 15 સપ્ટેમ્બર સુધીના પાંચ દિવસના સમયગાળામાં માત્ર એક દિવસ સામાન્ય બેન્કિંગ કામકાજ મળવાની શક્યતા છે.
ઓનલાઇન સેવાઓ ચાલુ રહેશે
બેન્ક શાખાઓ બંધ હોવા છતાં UPI, Mobile Banking, Net Banking અને ATM જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. પરંતુ ચેક ક્લિયરન્સ, કેશ કાઉન્ટર, પાસબુક, KYC, લોન દસ્તાવેજો અથવા બ્રાન્ચમાં હાજરી જરૂરી હોય તેવા કામમાં વિલંબ થઈ શકે છે.
આ પણ વાંચો: BRICS Summit: પુતિનથી જિનપિંગ સુધીના 26 મહાનુભાવો ક્યારે આવશે ભારત
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- India's Forex Reserves: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં રેકોર્ડ ઉછાળો, ₹69.1 લાખ કરોડને પાર
- India Digital Economy : ભારતની B2B ડિજિટલ રેલ MSME માટે રૂ. 60 લાખ કરોડનું ધિરાણ અંતર દૂર કરશે
- અલ નિનોની અસર અને અખાતી યુદ્ધનાં કારણે દાડમની નિકાસમાં ઘટાડો
- ખાંડ ઉત્પાદન ઘટવાની શક્યતા! ભારતમાં 2027ની સીઝનમાં 2.9થી 3.1 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
