Merger: ₹22,000 કરોડની ખોટ બાદ Air Indiaમાં મોટા ફેરફારની તૈયારી
માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન Air Indiaએ આશરે ₹22,000 કરોડની ખોટ નોંધાવી હતી. આ સ્થિતિમાં કંપની માટે ખર્ચ ઘટાડવો અને કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવી મહત્ત્વપૂર્ણ બની છે. Air India સામે પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાથી લાંબા રૂટ અને વધતા ખર્ચનો પડકાર છે.

₹22,000 કરોડની વિક્રમજનક ખોટ ઘટાડવા Air Indiaના નવા CEO Tewolde Gebremariam ખર્ચમાં કાપ અને સંગઠનાત્મક ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે Air India Expressને મુખ્ય એરલાઇન સાથે જોડવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. જોકે, આ વિચાર હજુ પ્રારંભિક તબક્કામાં છે અને કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
જો બંને કંપનીઓનું વિલિનીકરણ કરવામાં આવે તો અલગ મેનેજમેન્ટ ટીમ, એન્જીનિયર્સ અને વહીવટી સ્ટાફ જાળવવાની જરૂરિયાત ઘટી શકે છે. તેની સાથે નિયમનકારી પ્રક્રિયાઓ સરળ બની શકે અને સમગ્ર ગ્રુપની Operational Cost ઘટાડવામાં મદદ મળી શકે છે. સૂત્રો મુજબ, વિલીનીકરણનો વિચાર હજુ શરૂઆતના તબક્કામાં છે. તેને આગળ વધારવા Supervisory Board સહિત જરૂરી મંજૂરી મેળવવી પડશે. સંયુક્ત માળખું બનાવવામાં આવે તો પણ Low-cost Airline તરીકે Air India Expressનું નામ જાળવી રાખવામાં આવી શકે છે. જોકે, આ મુદ્દે Air Indiaએ આ અહેવાલ અંગે સત્તાવાર ટિપ્પણી કરી નથી.
₹22,000 કરોડની ખોટે વધાર્યું દબાણ
માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન Air Indiaએ આશરે ₹22,000 કરોડની ખોટ નોંધાવી હતી. આ સ્થિતિમાં કંપની માટે ખર્ચ ઘટાડવો અને કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવી મહત્ત્વપૂર્ણ બની છે. Air India સામે પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાથી લાંબા રૂટ અને વધતા ખર્ચનો પડકાર છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે કેટલીક ઉડાનો પ્રભાવિત થઈ છે અને Aviation Turbine Fuelના ખર્ચમાં પણ વધારો થયો છે.
અગાઉ ચાર બ્રાન્ડ બેમાં ફેરવાઈ હતી
2007માં Air India અને Indian Airlinesનું વિલીનીકરણ થયું હતું. Tata Groupએ 2022માં Air Indiaનું અધિગ્રહણ (Acquisition) કર્યા બાદ Airline Portfolioનું પુનર્ગઠન કર્યું હતું. ત્યારબાદ ચાર એરલાઇન બ્રાન્ડને જોડીને Air India અને Air India Express એમ બે મુખ્ય બ્રાન્ડ બનાવવામાં આવી હતી. હવે બંને એરલાઇનને એક જ કોર્પોરેટ સ્ટ્રક્ચર હેઠળ લાવવાની યોજના અમલમાં આવે તો Tata Groupના Aviation Businessમાં વધુ એક મોટું પુનર્ગઠન થશે. તે Tata Groupની સાથે Air Indiaની ભાગીદાર Singapore Airlines માટે પણ મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો: Rice Production: ચોખાનું ઉત્પાદન ઘટવાની આશંકા, બફર સ્ટોક આપશે રાહત
આ પણ જુઓ:

Advertisement by KuberaNow
Market
See more- HDFC Bank 2.5 ટકા વધતાં બેન્ક નિફટી ઊચકાયો
- BSE સેન્સેક્સ CASના લીધે આંચકાજનક રીતે ફ્લેટ બંધ, નિફ્ટી વધીને બંધ આવ્યો
- Jefferies Buy Rating: Adani ગ્રુપની 4 કંપનીઓ પર Jefferiesનો બુલિશ વ્યૂ, 49% સુધીના ઉછાળાની શક્યતા
- શાપૂરજી પલોનજી ગ્રુપના વડાએ ટાટા સન્સનું લિસ્ટિંગ કરાવવાના રિઝર્વ બેન્કના નિર્ણયને આવકાર્યો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

