મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશનની કેનેડા મુલાકાત
TiE ટોરેન્ટોના ઉદ્યોગ સાહસિકો અને કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ CHCC સાથે મુખ્યમંત્રીની રાઉન્ડ ટેબલ બેઠકો યોજાઈ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027 સંદર્ભે યુ.એસ. અને કેનેડાના પ્રવાસે ગયેલા ગુજરાત ડેલિગેશનની ટોરેન્ટો મૂલાકાતના બીજા દિવસે બે રાઉન્ડ ટેબલ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાઉન્ડ ટેબલ બેઠકોની સિરીઝમાં ધ ઈન્ડીસ એન્ટરપ્રેન્યોર્સ (TiE)ના 30 જેટલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. તેમણે સ્ટાર્ટાપ્સ ફાઉન્ડર્સ, ઉદ્યોગ સાહસિકો અને TiEના સભ્યો સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગ્લોબલી કોમ્પીટીટીવ ઈનોવેશન ઈકોનોમી બનાવવાના ભવિષ્યલક્ષી વિઝન અંગે ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે તે સંદર્ભમાં ખાસ કરીને ટેક્નોલોજી, પબ્લીક પોલિસીઝ, ફાયનાન્શ્યલ સર્વિસીસ અને ફિનટેકના ક્ષેત્રોમાં કેનેડિયન સાહસો અને ગુજરાતના આ ક્ષેત્રના સાહસો વચ્ચે સહયોગ અને ભાગીદારી વધુ સંગીન કરવા અંગેની ચર્ચા હાથ ધરી હતી. તેમણે ગુજરાતની મજબૂત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ, ઈન્વેસટર્સ ફ્રેન્ડલી પોલિસીઝ અને વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓની પણ માહિતી TiE મેમ્બર્સને આપી હતી.
TiE ટોરોન્ટોની સ્થાપના વર્ષ 2000માં થઈ છે અને કેનેડા સરકાર તથા ઉદ્યોગ જગતને વિશ્વભરના સફળ કેનેડિયન ઉદ્યોગ સાહસિકો સાથે જોડવાની સેતુરૂપ કામગીરી કરવાનો ઉદેશ્ય TiE ધરાવે છે. સોફ્ટવેર, હાર્ડવેર, હેલ્થકેર, બાયોટેક, મીડિયા, ટેલિફોમ, IT સર્વિસીસ અને ફાયનાન્શ્યલ ઈન્સ્ટીટ્યુટ્સ જેવા બહુવિધ ક્ષેત્રોના લોકો TiEના મેમ્બર્સ છે. ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, નિષ્ણાતો અને ઉદ્યોગ અગ્રણીઓ પરસ્પર જોડાઈને નોલેજ એન્ડ એક્સપીરીયન્સ શેરિંગ સાથે કોન્ટેક્ટ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ માટે TiE મારફતે કાર્યરત રહે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સભ્યો સાથેની ચર્ચા દરમિયાન આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027 પહેલાં ગુજરાતમાં રોકાણ, ઈનોવેશન અને સ્કેલિંગ માટેની તક ઝડપવા સભ્યોને આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ આ ઉપરાંત અન્ય એક રાઉન્ડ ટેબલ અંતર્ગત કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ સાથે યોજેલી બેઠકમાં CHCCએ વાયબ્રન્ટ સમિટ-2027માં સહભાગીતા માટે દર્શાવેલી ઉત્સુક્તાની પ્રસંશા કરી હતી. આના પરિણામે B2B જોડાણો, રોકાણો અને ભાગીદારીના જે નવા માર્ગો ખૂલશે તે કેનેડા-ગુજરાત વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે એવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. આ રાઉન્ડ ટેબલ બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે.દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા સહિત ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
- કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
- ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
- ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
