ગુજરાતમાં ભાડાના નિયમોમાં ફેરફાર, નવા કાયદાથી મકાન માલિક અને ભાડૂઆત બંનેને મળશે સુરક્ષા
ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સર્વાનુમતે પસાર થયું છે. નવા કાયદાનો હેતુ મકાન માલિકો અને ભાડૂઆતો વચ્ચેના સંબંધોમાં પારદર્શિતા લાવવાનો અને જૂની ભાડા વ્યવસ્થાની કાનૂની ગૂંચવણો દૂર કરવાનો છે. નવા નિયમો હેઠળ ભાડા કરાર, ડિજિટલ રેકોર્ડ, ડિપોઝિટ મર્યાદા અને વિવાદના ઝડપી ઉકેલ માટે નવી વ્યવસ્થા લાગુ થશે.

ગુજરાતમાં મકાન ભાડે આપવાની અને લેવાની વ્યવસ્થામાં મોટો બદલાવ આવવાનો છે. રાજ્ય સરકારે ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ પસાર કર્યું છે. આ કાયદો જૂના મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ, 1947ના સ્થાને રાજ્યની વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, આ કાયદાનો મુખ્ય હેતુ મકાન માલિકો અને ભાડૂઆતો બંનેના હિતોનું સંતુલિત રક્ષણ કરવાનો છે. નવા કાયદાથી ભાડાની પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનશે.
ભાડા કરાર હવે ફરજિયાત
નવા કાયદા હેઠળ રહેણાંક કે કોમર્શિયલ મિલકત ભાડે આપતી વખતે લેખિત ભાડા કરાર કરવો ફરજિયાત રહેશે. આ કરારની માહિતી રેન્ટ ઓથોરિટી પાસે નોંધાવવાની રહેશે, જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો બંને પક્ષો પાસે કાનૂની પુરાવો ઉપલબ્ધ રહેશે.
ડિજિટલ પ્લેટફોર્મથી મળશે યુનિક આઈડી
ભાડા કરારો માટે ગુજરાતીમાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. દરેક ભાડા કરારને એક ખાસ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે અને તેની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. આ વ્યવસ્થા ભાડૂઆત અને મકાન માલિક બંને માટે સુરક્ષા વધારશે.
ડિપોઝિટની મર્યાદા નક્કી
નવા કાયદામાં ભાડૂઆતોના હિતને ધ્યાનમાં રાખીને સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે મકાન માલિક વધુમાં વધુ 3 મહિનાના ભાડા જેટલો જ ડિપોઝિટ લઈ શકશે. મિલકત ખાલી કર્યા બાદ હિસાબ પૂર્ણ થયા પછી એક મહિનાની અંદર ડિપોઝિટ પરત કરવાની રહેશે.
વિવાદ માટે ત્રણ સ્તરની વ્યવસ્થા
ભાડાના વિવાદોનો ઝડપી ઉકેલ લાવવા માટે રાજ્યમાં ત્રણ સ્તરની વ્યવસ્થા બનાવવામાં આવશે. આ વ્યવસ્થાથી ભાડા સંબંધિત કેસોનો સમયસર નિકાલ થઈ શકશે.
- રેન્ટ ઓથોરિટી
- રેન્ટ કોર્ટ
- રેન્ટ ટ્રિબ્યુનલ
વીજળી, પાણી જેવી સેવાઓ રોકી શકાશે નહીં
નવા કાયદા હેઠળ મકાન માલિક ભાડૂઆતની જરૂરી સેવાઓ જેવી કે વીજળી, પાણી અથવા ગેસ કનેક્શન બંધ કરી શકશે નહીં. જો આવું થાય તો રેન્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક સેવા પુનઃ શરૂ કરવાનો આદેશ આપી શકાય છે.
મકાન માલિકના હકોનું પણ રક્ષણ
નવા કાયદામાં મકાન માલિકોના હકોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જો ભાડૂઆત લાંબા સમય સુધી ભાડું ચૂકવે નહીં, મિલકતને નુકસાન પહોંચાડે અથવા મંજૂરી વગર પેટા-ભાડે આપે તો કાયદાકીય પ્રક્રિયા દ્વારા મિલકત ખાલી કરાવી શકાશે.
કુદરતી આપત્તિમાં ભાડૂઆતને રાહત
પૂર, ભૂકંપ કે ચક્રવાત જેવી કુદરતી આપત્તિમાં જો મિલકત રહેવા યોગ્ય ન રહે તો ભાડૂઆતને ભાડામાં રાહત અથવા કરાર લંબાવવાની તક મળી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ 2026 પાસ, ઉદ્યોગો માટે નિયમો થશે સરળ
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધશે
સરકારનું માનવું છે કે આ કાયદાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વાસ વધશે અને મકાન માલિક તથા ભાડૂઆત વચ્ચેના સંબંધો વધુ વ્યવસ્થિત બનશે. આ કાયદો ‘ઈઝ ઓફ લિવિંગ’ વધારવા અને રાજ્યમાં વધુ પારદર્શક ભાડા વ્યવસ્થા ઊભી કરવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- India's Forex Reserves: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં રેકોર્ડ ઉછાળો, ₹69.1 લાખ કરોડને પાર
- India Digital Economy : ભારતની B2B ડિજિટલ રેલ MSME માટે રૂ. 60 લાખ કરોડનું ધિરાણ અંતર દૂર કરશે
- અલ નિનોની અસર અને અખાતી યુદ્ધનાં કારણે દાડમની નિકાસમાં ઘટાડો
- ખાંડ ઉત્પાદન ઘટવાની શક્યતા! ભારતમાં 2027ની સીઝનમાં 2.9થી 3.1 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
