ગુજરાતમાં 6 નવા પોર્ટ અને 4 શિપબિલ્ડિંગ યાર્ડ માટે રોકાણની તક
ગુજરાત મેરીટાઇમ બોર્ડે પોર્ટ અને શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં ખાનગી રોકાણ આકર્ષવા માટે નવા પ્રોજેક્ટ્સનો રોડમેપ રજૂ કર્યો છે. રાજ્યએ વર્ષ 2047 સુધીમાં ગુજરાતની પોર્ટ ક્ષમતા વધારીને 3,000 MMTPAથી વધુ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા મુંબઈમાં “Ports and Shipyards Development in Gujarat” વિષય પર સ્ટેકહોલ્ડર મીટ યોજાઈ હતી. બેઠકમાં દેશ-વિદેશના પોર્ટ ઓપરેટર્સ, શિપબિલ્ડર્સ, રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ અને મેરીટાઇમ ક્ષેત્રના નિષ્ણાતો જોડાયા હતા.
બોર્ડે EOI એટલે કે Expression of Interestના આધારે 6 ગ્રીનફિલ્ડ પોર્ટ અને 4 શિપબિલ્ડિંગ યાર્ડમાં રોકાણની તકો રજૂ કરી છે. આ યોજનાઓમાં કુચાડી ખાતે પ્રસ્તાવિત મેગા શિપબિલ્ડિંગ ક્લસ્ટર મુખ્ય આકર્ષણ રહ્યું હતું.
આ પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતમાં પોર્ટ, શિપબિલ્ડિંગ, શિપ રિપેર અને મરીન મેન્યુફેક્ચરિંગનું સંકલિત ઇકોસિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેનાથી રાજ્યની લોજિસ્ટિક્સ ક્ષમતા અને પોર્ટ આધારિત ઔદ્યોગિક વિકાસને વેગ મળવાની અપેક્ષા છે.
બેઠકમાં લગભગ 200 હિતધારકો ઉપરાંત 15થી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ઇન્ડોનેશિયા, ઇટાલી, નોર્વે, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને પોર્ટ ઓફ રોટરડેમના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના અધિકારીઓએ નીતિની સાતત્યતા, રોકાણકારોના વિશ્વાસ અને PPP આધારિત મેરીટાઇમ ડેવલપમેન્ટ મોડલ પર ભાર મૂક્યો હતો. બેઠકના અંતે રોકાણકારો અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ વચ્ચે સીધા સંવાદ તથા B2G બેઠકો પણ યોજાઈ હતી.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
- કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
- ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
- ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
