KuberaNowLogo
Friday, 28/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

શૈત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન અને વોચ ટાવરથી સિંહોની અવર-જવર પર નજર

પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર સિંહોની હાજરીને ધ્યાનમાં રાખીને વન વિભાગ યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન નિરીક્ષણ, વોચ ટાવર અને સતત ટ્રેકિંગની વ્યવસ્થા કરશે. વિસ્તારને સાયલેન્ટ ઝોન જાહેર કરવાની પણ વિચારણા છે.

KuberaNow
desk@kuberanow19 Aug 2026
InstagramFacebookXLinkedIn
Hill
વન વિભાગ શૈત્રુંજય પર્વત વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી દિવસ-રાત સિંહોની હિલચાલ પર નજર રાખશેAI GENERATED IMAGE

પાલીતાણાના પવિત્ર શૈત્રુંજય પર્વત પર છેલ્લા કેટલાક સમયથી જોવા મળતી એશિયાઇ સિંહોની અવર-જવરને ધ્યાનમાં રાખીને હજારો યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગ વિશેષ વ્યવસ્થા કરશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ડ્રોન દ્વારા સતત નિરીક્ષણ, 4 વોચ ટાવર, ટ્રેકિંગ-સ્કેનિંગ અને સુરક્ષા માટે વધારાનું માનવબળ ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ડ્રોનથી રાત-દિવસ નિરીક્ષણ

વન વિભાગ શૈત્રુંજય પર્વત વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી દિવસ-રાત સિંહોની હિલચાલ પર નજર રાખશે. સાથે 4 પ્રી-ફેબ્રિકેટેડ વોચ ટાવર અને 4 સેન્ટર-કમ-કેબિન ઊભા કરવાની યોજના છે. સિંહોની હિલચાલનું સતત ટ્રેકિંગ અને સ્કેનિંગ પણ કરવામાં આવશે, જેથી યાત્રાળુઓને સમયસર સતર્ક કરી શકાય.


સ્થાનિક યુવાનોને સુરક્ષા કામગીરીમાં જોડાશે

સિંહોના ટ્રેકિંગ અને યાત્રાળુઓની સુરક્ષા માટે સ્થાનિક યુવાનોની હંગામી ધોરણે ભરતી કરવાની યોજના છે. યાત્રા માર્ગને વધુ સુગમ બનાવવા પર્યાવરણને ધ્યાનમાં રાખીને તેના સમારકામ માટે પણ સૂચના આપવામાં આવી છે. વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરવાની શક્યતા અંગે પણ વિચારણા કરવામાં આવશે.


સૂર્યાસ્ત પહેલાં યાત્રા પૂર્ણ કરવાની સલાહ

વન વિભાગે છેલ્લા એક વર્ષ દરમિયાન આ વિસ્તારમાં સિંહોની હાજરી અને તેમની હિલચાલનું અવલોકન અને વિશ્લેષણ કર્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને સૂર્યોદય પછી યાત્રા શરૂ કરવા અને સૂર્યાસ્ત પહેલાં યાત્રા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે વન્યજીવોને કોઈ પ્રકારની કનડગત ન પહોંચે તે માટે યાત્રા દરમિયાન શાંતિ અને શિસ્ત જાળવવા પર ભાર મૂકાયો છે.


જૈન આગેવાનો સાથે સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા

ગાંધીનગરમાં શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના જૈન આગેવાનો અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં યાત્રાળુઓની સુરક્ષા, વન્યજીવ સંરક્ષણ, ટ્રેકિંગ, ડ્રોન ટેકનોલોજી અને જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM