સરકારે ₹10,783 કરોડના 3 રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, આ 5 રાજ્યોમાં વધશે રેલવે કનેક્ટિવિટી
કેન્દ્રીય આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ₹10,783 કરોડના ત્રણ રેલવે મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સથી ભારતીય રેલવે નેટવર્કમાં આશરે 656 કિમીનો વધારો થશે.

સરકારે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સે ₹10,783 કરોડના ત્રણ મલ્ટી-ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કુલ 14 જિલ્લાઓમાં અમલમાં આવશે.
કયા રેલવે રૂટ્સનો સમાવેશ?
- ખડગપુરથી ઝારસુગુડા (બાગડેહી) વચ્ચે ચોથી લાઇન
- કટનીથી પેન્દ્રા રોડ વચ્ચે ચોથી લાઇન
- બિલાસપુર (ઉસલાપુર)થી પેન્દ્રા રોડ વચ્ચે ત્રીજી લાઇન
4,790 ગામોને મળશે વધુ સારી કનેક્ટિવિટી
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ્સથી આશરે 4,790 ગામો અને લગભગ 56 લાખ લોકોને વધુ સારી રેલવે કનેક્ટિવિટી મળશે. સાથે જ બાંધવગઢ ટાઇગર રિઝર્વ, અમરકંટક મંદિર, અચાનકમાર ટાઇગર રિઝર્વ અને રતનપુર મહામાયા મંદિર જેવા પ્રવાસન સ્થળો સુધી પહોંચવું પણ સરળ બનશે.
માલવહન ક્ષમતા વધશે
આ રૂટ્સ કોલસા, સિમેન્ટ, આયર્ન અને સ્ટીલ જેવા માલના પરિવહન માટે મહત્વના છે. વધારાની લાઇન ક્ષમતાથી દર વર્ષે આશરે 27 મિલિયન ટન વધારાનું માલવહન શક્ય બનશે.
લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાનો લક્ષ્ય
સરકારના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ્સ PM Gati Shakti National Master Plan હેઠળ વિકસાવવામાં આવશે. રેલવે દ્વારા વધુ માલવહન થવાથી લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થઈ શકે છે અને રસ્તા પરથી રેલ તરફ ટ્રાફિક ખસેડવામાં મદદ મળશે.
આ પણ વાંચો: નાના વેપારીઓને મળશે ટેકો, એમેઝોન પે અને કોટક મહિન્દ્રા બેંકે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું
તેલ આયાત અને પ્રદૂષણમાં ઘટાડો
સરકારના અંદાજ મુજબ આ પ્રોજેક્ટ્સથી દર વર્ષે આશરે 12 કરોડ લિટર તેલની આયાત બચી શકે છે. સાથે જ લગભગ 62 કરોડ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટી શકે છે, જે આશરે 2.48 કરોડ વૃક્ષો વાવવા જેટલી અસર સમાન હોવાનું સરકારે જણાવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- બજાર ત્રણ મહિનાના નીચલા સ્તરે સેન્સેક્સ 813 પોઇન્ટ અને નિફ્ટી 204 પોઇન્ટ તૂટ્યા
- ઓપી ભટ્ટનું રાજીનામુઃ કંપનીઓમાં સ્વતંત્ર ડિરેક્ટરનું ટર્મ પૂરી કર્યા વગર રાજીનામુ આપવાનું ચલણ વધ્યું
- Crude Oil Price : ક્રૂડ ઓઈલ 100 ડોલર નજીક પહોંચ્યું
- આઇટી શેરોમાં સળંગ છઠ્ઠા દિવસે વેચવાલીઃ કોફોર્જ 9 ટકા, TCS 6 ટકા તો ઇન્ફોસિસ 4 ટકાથી વધુ તૂટ્યો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
