ઓપી ભટ્ટનું રાજીનામુઃ કંપનીઓમાં સ્વતંત્ર ડિરેક્ટરનું ટર્મ પૂરી કર્યા વગર રાજીનામુ આપવાનું ચલણ વધ્યું
ભારતમાં છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં 668 સ્વતંત્ર ડિરેક્ટરોએ રાજીનામા આપ્યા તે બતાવે છે કે તેમના રાજીનામાનું ચલણ કેટલું વધ્યું છે

અમદાવાદઃ રિયલ્ટી કંપની કોફોર્જના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે ઓપી ભટ્ટના રાજીનામાના પગલે બજારમાં એવી હલચલ થઈ કે કંપનીનો શેર એક સમયે નવ ટકા સુધી તૂટ્યો. ઓ પી ભટ્ટ જાણીતું નામ છે. તે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. તેમના રાજીનામાથી ફક્ત કંપની જ નહીં શેરબજારમાં પણ ખળભળાટ મચી ગયો છે, જેનો પડઘો તેના શેરમાં પણ પડ્યો છે. કંપની પોતે એકદમ ડિફેન્સ મોડમાં આવી ગઈ છે.
અતનુ ચક્રવર્તી (એચડીએફસી બેન્ક)
કોર્પોરેટ સેક્ટરમાં ઓપી ભટ્ટ જાણીતા ચહેરાએ ટર્મ પૂરી કર્યા વગર રાજીનામુ આપ્યુ હોય તેવો કંઈ ચાલુ વર્ષે પહેલો જ કિસ્સો નથી. હમણા થોડા સમય પહેલા એચડીએફસી બેન્કના અતનુ ચક્રવર્તીએ પણ આ જ રીતે તેમની ટર્મ પૂરી પહેલાં થયા રાજીનામુ આપીને બધાને ચોંકાવ્યા હતા. તેમના રાજીનામાની અસરમાંથી બજારમાં ખળભળાટ મચી ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના પોતાના મૂલ્યો બેન્કના આંતરિક રીતરસમો સાથે મેળ ખાતા નથી, તેમના આ નિવેદને બજારમાં હડકંપ મચાવ્યો હતો. અહીં તે યાદ રાખવું જરૂરી છે કે તેમના રાજીનામા પછી વધુ એક ટોચના ડિરેક્ટર જગદીશને પણ રાજીનામુ આપ્યું હતું. તેના લીધે એચડીએફસી બેન્કના શેરે બે વર્ષનું તળિયું બનાવ્યું હતું. તેમણે રિટેલ લોનના મોરચે કંપની દ્વારા ધારાધોરણોનું પાલન થતું નથી અને બીજી કેટલીક વહીવટી બાબતોના લઈને રાજીનામું આપ્યું હતું. એચડીએફસી બેન્ક હજી પણ આંચકામાંથી બેઠી થવા પ્રયત્ન કરી રહી છે.
અનિલ ખંડેલવાલ (રાશિ પેરિફેરલ્સ)
આ જ રીતે રાશિ પેરિફેરલ્સના સ્વતંત્ર ડિરેક્ટરના હોદ્દા પરથી અનિલ ખંડેલવાલે કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દાઓને લઈને રાજીનામુ આપ્યું હતું. તેમા રિલેટેડ પાર્ટી ડ્યુ ડિલિજન્સ પ્રણાલિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક્ઝિક્યુટિવને ચૂકવવામાં આવતા વેતનને લઈને પણ તેમના બોર્ડની સાથેના મતભેદો હતા. આ હાઇપ્રોફાઇલ રાજીનામા બતાવે છે કે આટલી મોટી કંપનીઓના બોર્ડમાં પણ બધુ સમુસૂતરુ ચાલતું નથી.
લિસ્ટેડ કંપનીઓમાંથી સ્વતંત્ર ડિરેક્ટરના રાજીનામાની સંખ્યા FY26 માં 668ની પાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી, જે નિયમનકારી દબાણ અને શેરધારકોની તપાસમાં તીવ્ર વધારો દર્શાવે છે.
આ પ્રકારના વલણનું કારણ
1. નિયમનકારી કડકાઈમાં વધારો
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા દેખરેખને કડક બનાવતા, સ્વતંત્ર ડિરેક્ટરની ભૂમિકા હવે ઔપચારિક રહી નથી. બોર્ડના સભ્યો હવે કંપનીની કામગીરીની ક્ષતિઓ માટે સીધા જ જવાબદાર છે. જોખમ વ્યક્તિગત છે, માત્ર પ્રતિષ્ઠિત નથી, અને ઘણા લોકો જોખમનો ભોગ બનવાના બદલે વહેલા બહાર નીકળવાનું પસંદ કરી રહ્યા છે.
2. પારદર્શિતા વિરોધાભાસ
સેબીના નિયમનો આદેશ આપે છે કે રાજીનામું આપનારા સ્વતંત્ર ડિરેક્ટરો તેમના બહાર નીકળવાના કારણો જાહેર કરે. કાગળ પર, આનાથી અનુપાલનમાં સુધારો થયો છે-કોઈપણ કારણ વગરના રાજીનામામાં તીવ્ર ઘટાડો થયો છે. જો કે, "વ્યક્તિગત કારણો" અને "પૂર્વ વ્યવસાય" નાણાકીય વર્ષ 26 માં 50% થી વધુ એક્ઝિટ માટે જવાબદાર છે. આ અસ્પષ્ટ સમજૂતીઓ ઘણીવાર અંતર્ગત ગવર્નન્સ મુદ્દાઓને ઢાંકી દે છે, જે લઘુમતી શેરધારકોને અંધારામાં મૂકી દે છે.
3. ‘પ્રતિકાત્મક’ ડિરેક્ટરશિપનો અંત
બજાર વ્યાવસાયિક, જવાબદાર અભિગમ ધરાવતા બોર્ડ તરફ આગળ વધી રહ્યું છે. સ્વતંત્ર ડિરેક્ટરો પાસે સમયનું રોકાણ, મુશ્કેલ પ્રશ્નો પૂછવા અને જરૂર પડ્યે દરમિયાનગીરી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. નિષ્ક્રિય દેખરેખ હવે યોગ્ય મનાતી નથી.
તારણ
જ્યારે રાજીનામામાં વધારો વધુ જાગ્રત નિયમનકારી વાતાવરણને પ્રતિબિંબિત કરે છે, ત્યારે અસ્પષ્ટ જાહેરાતોની દ્રઢતા સૂચવે છે કે બોર્ડરૂમમાં સાચી પારદર્શિતાનું કામ ચાલુ છે. પર્યાવરણ વધુ શિસ્તબદ્ધ બનતું હોવા છતાં, મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ અને અર્થપૂર્ણ પારદર્શિતાનું લક્ષ્ય હજી દૂર છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- બજાર ત્રણ મહિનાના નીચલા સ્તરે સેન્સેક્સ 813 પોઇન્ટ અને નિફ્ટી 204 પોઇન્ટ તૂટ્યા
- ઓપી ભટ્ટનું રાજીનામુઃ કંપનીઓમાં સ્વતંત્ર ડિરેક્ટરનું ટર્મ પૂરી કર્યા વગર રાજીનામુ આપવાનું ચલણ વધ્યું
- Crude Oil Price : ક્રૂડ ઓઈલ 100 ડોલર નજીક પહોંચ્યું
- આઇટી શેરોમાં સળંગ છઠ્ઠા દિવસે વેચવાલીઃ કોફોર્જ 9 ટકા, TCS 6 ટકા તો ઇન્ફોસિસ 4 ટકાથી વધુ તૂટ્યો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
