ઘઉંની નિકાસને ફરી લીલી ઝંડી, ભારતે તાત્કાલિક અસરથી પ્રતિબંધ હટાવ્યો
DGFTએ ઘઉં અને ચોક્કસ durum wheatની નિકાસ નીતિ ‘Prohibited’માંથી બદલીને ‘Free’ કરી છે. નવા નિયમો 24 ઓગસ્ટથી તાત્કાલિક અસરથી લાગુ થયા છે.

ભારતે ઘઉંની નિકાસ પર લાગેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી દીધો છે. Directorate General of Foreign Trade (DGFT)એ 24 ઓગસ્ટે જાહેર કરેલા નોટિફિકેશનમાં બે HS Code હેઠળ આવતાં ઘઉં ઉત્પાદનોની export policy ‘Prohibited’માંથી બદલીને ‘Free’ કરી છે. એટલે હવે આ કેટેગરીના ઘઉંની વિદેશમાં નિકાસ કરી શકાશે.
કયા ઘઉંની નિકાસને મંજૂરી?
DGFTના નોટિફિકેશન મુજબ HS Code 10011900 હેઠળ આવતું ‘Durum Wheat – Other’ અને HS Code 10019910 હેઠળ આવતું wheat હવે નિકાસ માટે મુક્ત કરવામાં આવ્યું છે. આ બંને કેટેગરી અગાઉ નિકાસ માટે પ્રતિબંધિત હતી.
24 ઓગસ્ટથી જ અમલ
વાણિજ્ય મંત્રાલય હેઠળના DGFTએ Notification No. 35/2026-27 દ્વારા આ ફેરફાર કર્યો છે અને નિકાસ નીતિ તાત્કાલિક અસરથી લાગુ થઈ છે. આ સુધારો ITC (HS) Export Policyના Schedule 2 હેઠળ Foreign Trade (Development & Regulation) Act, 1992 અને Foreign Trade Policy, 2023 મુજબ કરવામાં આવ્યો છે.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
- કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
- ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
- ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
