ગુજરાતની બેન્કોમાં NRI ડિપોઝિટમાં વૃદ્ધિ, એક વર્ષમાં 13,466 કરોડનો ઉછાળો
ગુજરાતની બેન્કોમાં NRI થાપણમાં સતત વધારો જોવા મળ્યો છે. વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં NRI થાપણ વધીને ₹1.22 લાખ કરોડથી વધુ પહોંચી છે.

ગુજરાતની બેન્કોમાં બિનનિવાસી ભારતીયો (NRI)ની થાપણમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રાજ્યની બેન્કોમાં NRI થાપણ ₹1,22,363.74 કરોડ સુધી પહોંચી છે, જે એક વર્ષ અગાઉના ₹1,08,897.99 કરોડની સરખામણીએ ₹13,466 કરોડનો વધારો દર્શાવે છે.
અમદાવાદ NRI થાપણમાં આગળ
જિલ્લાવાર આંકડા મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ NRI થાપણ નોંધાઈ છે. અમદાવાદની બેન્કોમાં કુલ ₹27,326.02 કરોડની NRI થાપણ છે, જે રાજ્યની કુલ NRI થાપણના આશરે 22.3% જેટલી છે. મદાવાદ બાદ વડોદરા જિલ્લામાં ₹19,447.11 કરોડ અને કચ્છ જિલ્લામાં ₹18,412.65 કરોડની NRI થાપણ નોંધાઈ છે.

કયા જિલ્લાઓમાં વધુ થાપણ?
ગુજરાતના અન્ય મોટા જિલ્લાઓમાં આણંદમાં ₹9,746.58 કરોડ, સુરતમાં ₹9,480.82 કરોડ અને રાજકોટમાં ₹9,368.49 કરોડની NRI થાપણ નોંધાઈ છે. આંકડા સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના તાજેતરના અહેવાલના આધારે સામે આવ્યા છે.
NRI થાપણ કેમ મહત્વપૂર્ણ?
NRI દ્વારા મોકલવામાં આવતા નાણાં બેન્કિંગ સિસ્ટમ ઉપરાંત સ્થાનિક રોકાણ અને અર્થતંત્ર સાથે પણ જોડાયેલા હોય છે. બેન્કોમાં વધતી NRI થાપણ રાજ્યના નાણાકીય પ્રવાહ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો :NSE IPOનો પ્રથમ દિવસ, ₹22,569 કરોડના ઈશ્યૂ પર રોકાણકારોની નજર

Advertisement by KuberaNow
Market
See more- NSE IPO વચ્ચે SEBI ચીફની સ્પષ્ટતા, NSEને પોતાના જ પ્લેટફોર્મ પર શેર ટ્રેડિંગની મંજૂરી નહીં
- UPI MDR પર હવે બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઉઠાવ્યા સવાલ, SEBI ચેરમેને આપ્યા રાહતના સંકેત
- શેરબજારમાં ઉછાળે નફાકીય વેચવાલી, ડે હાઈથી 390 પોઇન્ટ ઘટીને બંધ
- ગુરુવારે સેમી કંડક્ટર શેરોમાં જોવાયો 10 ટકા સુધીનો ઉછાળો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

