KuberaNowLogo
Monday, 31/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વંદે ભારતનો નવો રૂટ: અમદાવાદથી વેરાવળ હવે ધોળકા-બોટાદ થઈ પહોંચી શકાશે, જાણો સમય અને ભાડું

પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

KuberaNow
desk@kuberanow18 Aug 2026
InstagramFacebookXLinkedIn
Vande Bharat Express Train
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનાં રૂટમાં ફેરફારAI Generated Image

અમદાવાદ: વંદે ભારતના રૂટમાં મોટો ફેરફાર થયો છે, જેનાથી સૌરાષ્ટ્રના અનેક મુસાફરોને સીધો ફાયદો થશે. 17 ઓગસ્ટથી સાબરમતી-વેરાવળ વંદે ભારત હવે સુરેન્દ્રનગર-રાજકોટ નહીં, પરંતુ ધોળકા, ધંધુકા, બોટાદ અને જૂનાગઢ રૂટ પર દોડતી થઈ. એટલે નવા રૂટ પરના મુસાફરોને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ઝડપી રેલ સેવાનો લાભ મળશે.


પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 17 ઓગસ્ટ 2026થી રૂટ બદલાતા મુસાફરો નવા રૂટ મુજબ સાબરમતીથી ધોળકા-ધંધુકા-બોટાદ અને જૂનાગઢ થઈને વેરાવળ પહોંચી શકશે. અગાઉ આ ટ્રેનનો રૂટ સાબરમતીથી સુરેન્દ્રનગર અને રાજકોટ થઈ વેરાવળ હતો.


ટ્રેનનાં ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, ગઢડાના MLA મહંત શંભુનાથ ટુંડિયા, રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરિયા સહિતના આગેવાનોએ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલ્વે દ્વારા ટ્રેનનાં રૂટમાં ફેરફાર કરાતા વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ સ્ટેશનનાં બદલે ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, ચીતલ અને જૂનાગઢ સ્ટેશન પર વંદે ભારત ટ્રેન ઊભી રહેશે, જેથી અહીંના મુસાફરોને પ્રથમ વખત વંદે ભારત રેલ સેવાનો લાભ મળશે. વંદે ભારત એક્સપ્રેસ 26901 ગુરૂવાર સિવાય સાબરમતીથી સવારે 6:00 વાગ્યે ઉપડશે, બપોરે 12:50 વાગ્યે વેરાવળ પહોંચશે. વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ-26902 ગુરુવાર સિવાય વેરાવળથી બપોરે 3:50 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:25 વાગ્યે સાબરમતી પહોંચશે.


વંદે ભારત ટ્રેન કેટલા વાગ્યે અને ક્યાંથી ઉપડશે?


સાબરમતીથી વેરાવળ


વેરાવળથી સાબરમતી


ટ્રેનની ટિકિટનો દર


ટ્રેનની ટિકિટ AC ચેર કારના ₹1125

એક્ઝિક્યુટિવ ચેર કારના ₹ 2125


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ રિબેલેન્સિંગઃ સેબીની CASની આકરી કસોટી
  2. ઓગસ્ટમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો
  3. રોકાણકારો માટે: સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે
  4. યુએસ ફેડ રિઝર્વના સંકેતોના પગલે ગોલ્ડ-સિલ્વર ETFમાં ત્રણથી ચાર ટકાનો કડાકો

Economy

See more
  1. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
  2. યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
  3. ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
  4. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM