ભારતની કેમિકલ ઇન્ડસ્ટ્રી 81 અબજ ડોલરની નિકાસ કરવા સક્ષમ
કેમિકલ ઇન્ડસ્ટ્રીએ સ્પેશ્યાલિટી કેમિકલ્સની 45 અબજ ડોલર, પેટ્રોકેમિકલ્સની 26 અબજ ડોલર અને ઇનઓર્ગેનિક કેમિકલ એક્સપોર્ટ્સની પાંચથી 10 અબજ ડોલરની નિકાસ કરવી જોઈએ. ઉદ્યોગે આ માટે આગામી પાંચ નાણાકીય વર્ષ સુધી 10થી 11 ટકાના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ નોંધાવવી પડે.

નવી દિલ્હીઃ ભારતની કેમિકલ ઇન્ડસ્ટ્રી 2030 સુધીમાં 81 અબજ ડોલરની નિકાસ કરી શકે છે. ભારતની કેમિકલ ઇન્ડસ્ટ્રી 80 હજારથી વધુ પ્રોડક્ટ્સ બનાવે છે. તેમા ઇનઓર્ગેનિક, પેટ્રોકેમિકલ્સ અને સ્પેશ્યાલિટી કેમિકલ્સનો સમાવેશ થાય છે. ઉત્પાદકો માટે આ ત્રણેય સેગમેન્ટ આકર્ષક છે. નીતિ આયોગ દ્વારા શેર કરવામાં આવેલા અંદાજ સૂચવે છે કે નાણાકીય વર્ષ 2030 સુધીમાં બજાર વપરાશ 290 અબજ ડોલરથી 310 અબજ ડોલર થાય તેમ મનાય છે.
અહેવાલમાં જણાવાયું છે કે કેમિકલ ઇન્ડસ્ટ્રીએ સ્પેશ્યાલિટી કેમિકલ્સની 45 અબજ ડોલર, પેટ્રોકેમિકલ્સની 26 અબજ ડોલર અને ઇનઓર્ગેનિક કેમિકલ એક્સપોર્ટ્સની પાંચથી 10 અબજ ડોલરની નિકાસ કરવી જોઈએ. ઉદ્યોગે આ માટે આગામી પાંચ નાણાકીય વર્ષ સુધી 10થી 11 ટકાના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ નોંધાવવી પડે. જ્યારે ઉપરના ત્રણ સેગમેન્ટમાં ટાર્ગેટ સિદ્ધ કરવા 14 ટકાના દરે વૃદ્ધિ કરવી પડે.
નીતિ આયોગના રિપોર્ટ મુજબ અમેરિકા, જર્મની, ભારત અને ફ્રાન્સ સ્પેશ્યાલિટી કેમિકલ્સ નિકાસ બજારમાં પ્રભુત્વ ધરાવે છે. તેનું કારણ વિપુલ માત્રમાં ઉપલબ્ધ કાચો માલ, મજબૂત પ્રોસેસ એન્જિનિયરિંગ કેપેસિટી અને નીચા ખર્ચે ઉત્પાદન ક્ષમતાનો સમાવેશ થાય છે. ભારત ઉત્પાદનક્ષમતામાં વૃદ્ધિ, ટેકનોલોજીકલ વૃદ્ધિ અને સાનુકૂળ સરકારી નીતિઓના લીધે આ સ્થિતિ જોવા મળી છે.
નીતિ આયોગે ઉમેર્યુ હતું કે સ્થાનિક ઉત્પાદનમાં વૃદ્ધિ થવી અત્યંત જરૂરી છે. સ્પેશ્યાલિટી કેમિકલ્સના ચોખ્ખા નિકાસકાર તરીકે ભારત ખર્ચ સ્પર્ધાત્મકતાના મોરચે થોડું ધ્યાન આપવાની જરૂર છે, જેથી નિકાસમાં વધારો કરી શકાય. લોકો ચીનનો વિકલ્પ શોધી રહ્યા છે ત્યારે ભારતીય નિકાસકારો માટે સારી તકોનું નિર્માણ થયું છે.
નીતિ આયોગનું તેના અહેવાલમાં કહેવું છે કે કેમિકલ ઉદ્યોગ માટે સ્થાનિક સ્તરે મૂલ્યવૃદ્ધિમાં નોંધપાત્ર સંભાવના છે. ડાઉનસ્ટ્રીમ પ્રોડકશનમાં વધારો કરીને અને ફીડસ્ટોક ઉપયોગિતા દ્વારા તે વિસ્તરણ કરી શકે છે. ભારતે 20247 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી બનવું હોય તો તેમા મેન્યુફેક્ચરિંગ સેક્ટરે મહત્વનું પ્રદાન આપવું જ પડશે.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
- યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
- ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
- સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
