9 સરકારી બેન્કોના મર્જર અંગે કેન્દ્ર સરકારની મોટી સ્પષ્ટતા
કેન્દ્ર સરકારે નવ સરકારી બેન્કોને State Bank of India, Punjab National Bank અને Bank of Baroda સાથે ભેળવવાની યોજના જાહેર કરી છે. જોકે, સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો છે.

સરકારી બેન્કોના મોટા મર્જરનો દાવો કરતું ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ ગેઝેટ સંપૂર્ણપણે નકલી છે અને નાણાં મંત્રાલય દ્વારા આવો કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી. વાયરલ દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારે નવ સરકારી બેન્કોને State Bank of India, Punjab National Bank અને Bank of Baroda સાથે મર્જ કરવાની યોજના જાહેર કરી છે. જોકે, સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો છે.
શું દાવો કરવામાં આવ્યો?
આ દસ્તાવેજને નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ભારત સરકારના અસાધારણ ગેઝેટની જેમ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં Indian Bank, Bank of Maharashtra અને Central Bank of Indiaને SBIમાં ભેળવીને ‘SBI Group’ બનાવવામાં આવશે. Union Bank of India, Bank of India અને Punjab & Sind Bankનું Punjab National Bankમાં મર્જર થશે. Canara Bank, Indian Overseas Bank અને UCO Bankને Bank of Barodaમાં ભેળવવામાં આવશે તેવો દાવો કરાયો હતો. દસ્તાવેજમાં મર્જર બાદ સંબંધિત બેન્કોની સંપત્તિ, જવાબદારીઓ, અધિકારો અને દાવા મોટી બેન્કોને ટ્રાન્સફર થવાની વાત પણ લખવામાં આવી હતી. તેમાં એવો દાવો પણ કરાયો હતો કે કર્મચારીઓની નોકરીની સાતત્યતા જળવાઈ રહેશે અને ગ્રાહકોનાં ખાતાં તથા વર્તમાન બેન્કિંગ વ્યવસ્થા માન્ય રહેશે.
કેન્દ્ર સરકારે શું સ્પષ્ટતા કરી?
કેન્દ્ર સરકારે જણાવ્યું કે આ દસ્તાવેજ નકલી છે અને નાણાં મંત્રાલયે તેને બહાર પાડ્યો નથી. લોકોને બેન્ક મર્જર કે અન્ય સરકારી નીતિ સંબંધિત દસ્તાવેજો માનતા અથવા આગળ મોકલતા પહેલાં સત્તાવાર વેબસાઇટ અને વિશ્વસનીય સ્રોતથી ખરાઈ કરવાની સલાહ આપવામાં આવી છે. હાલ SBI, PNB અથવા Bank of Barodaમાં નવ સરકારી બેન્કોના મર્જરનો કોઈ સત્તાવાર આદેશ નથી. તેથી ગ્રાહકોના ખાતાં, શાખા, IFSC કોડ, થાપણ કે અન્ય બેન્કિંગ સેવાઓમાં આ વાયરલ દાવાના આધારે કોઈ ફેરફાર થયો નથી.
આ પણ વાંચો: Fedના દરવધારા બાદ IT શેરોમાં વેચવાલી, Infosys-TCS સહિતના શેર દબાણમાં

Advertisement by KuberaNow
Market
See more- NSE IPO વચ્ચે SEBI ચીફની સ્પષ્ટતા, NSEને પોતાના જ પ્લેટફોર્મ પર શેર ટ્રેડિંગની મંજૂરી નહીં
- UPI MDR પર હવે બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઉઠાવ્યા સવાલ, SEBI ચેરમેને આપ્યા રાહતના સંકેત
- શેરબજારમાં ઉછાળે નફાકીય વેચવાલી, ડે હાઈથી 390 પોઇન્ટ ઘટીને બંધ
- ગુરુવારે સેમી કંડક્ટર શેરોમાં જોવાયો 10 ટકા સુધીનો ઉછાળો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

