કાશ્મીરી અખરોટની નવી સિઝન શરૂ, 20% વધુ પાકથી ભાવ સ્થિર રહેવાની આશા
કાશ્મીરી અખરોટની નવી સિઝન શરૂ થઈ છે. વાશી એપીએમસીમાં મુહૂર્તના સોદા પ્રતિ કિલો ₹700થી ₹1,200ના ભાવે થયા છે. આ વર્ષે કાશ્મીરમાં અખરોટનો પાક ગત સિઝનની સરખામણીએ 20% વધુ રહેવાની ધારણા છે, જેના કારણે ભાવ પર દબાણ ઓછું રહેવાની શક્યતા છે.

ઓમેગા-3થી ભરપૂર અને આરોગ્ય માટે લાભદાયી ગણાતા કાશ્મીરી અખરોટની નવી સિઝન શરૂ થઈ ગઈ છે. મુંબઈના વાશી APMC બજારમાં નવી સિઝનના અખરોટના મુહૂર્ત સોદા પ્રતિ કિલો ₹700થી ₹1,200ના ભાવે થયા છે. આ વર્ષે કાશ્મીરમાં અખરોટનો પાક ગત સિઝનની સરખામણીએ લગભગ 20% વધુ રહેવાની ધારણા હોવાથી ભાવ સ્થિર રહેવાની આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
કાશ્મીરના વિવિધ વિસ્તારોમાંથી આવક શરૂ
મુંબઈ ડ્રાયફ્રૂટ એસોસિએશનના ખજાનચી અને વાશી એપીએમસીના સુકામેવાના વેપારી રાજેન્દ્ર શાહના જણાવ્યા અનુસાર, ઉરી, કુપવાડા, કોકરનાગ અને લોલાબ જેવા વિસ્તારોમાંથી અખરોટની આવક શરૂ થઈ ગઈ છે. જ્યારે સાઉથ કાશ્મીરના વિસ્તારોમાંથી આવક આગામી 15 દિવસ બાદ શરૂ થવાની શક્યતા છે.
કાશ્મીરમાં ભાવ ₹650થી ₹1,150 પ્રતિ કિલો
કુપવાડાના અખરોટના હોલસેલ વેપારી હાજી નસરૂલ્લાહ ખાનના જણાવ્યા અનુસાર, કાશ્મીરમાં હાલ અખરોટના સોદા પ્રતિ કિલો ₹650થી ₹1,150ના ભાવે થઈ રહ્યા છે. પરિવહન અને અન્ય ખર્ચ ઉમેરાયા બાદ દેશના વિવિધ રાજ્યોમાં અખરોટના ભાવ થોડા વધારે રહે છે.
અખરોટ ઉત્પાદનમાં કાશ્મીર અગ્રેસર
ભારતમાં વાર્ષિક લગભગ 3.2 લાખ ટન અખરોટનું ઉત્પાદન થાય છે, જેમાંથી 95%થી વધુ ઉત્પાદન જમ્મુ-કાશ્મીરમાં થાય છે. દેશમાં કુલ 1.09 લાખ હેક્ટર વિસ્તારમાં અખરોટની ખેતી થાય છે, જેમાંથી લગભગ 89 હજાર હેક્ટર વિસ્તાર જમ્મુ-કાશ્મીરમાં છે.
આ પણ વાંચો: બાપ્પાને 24 કેરેટ સોનાના વરખવાળા મોદકનો પ્રસાદ, કિંમત જાણી ચોંકી જશો
ચીલીના અખરોટની વધતી સ્પર્ધા
ભારતીય બજારમાં ચીલીના અખરોટનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, ચીલીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી થતી હોવાથી ત્યાંના અખરોટનો રંગ અને ગુણવત્તામાં અલગ લક્ષણ જોવા મળે છે. બીજી તરફ કાશ્મીરમાં હજુ પણ હવામાન અને વરસાદ આધારિત કુદરતી ખેતી પર આધાર વધુ છે, જેના કારણે ઉત્પાદન દર વર્ષે બદલાતું રહે છે.

Advertisement by KuberaNow
Market
See more- NSE IPO વચ્ચે SEBI ચીફની સ્પષ્ટતા, NSEને પોતાના જ પ્લેટફોર્મ પર શેર ટ્રેડિંગની મંજૂરી નહીં
- UPI MDR પર હવે બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઉઠાવ્યા સવાલ, SEBI ચેરમેને આપ્યા રાહતના સંકેત
- શેરબજારમાં ઉછાળે નફાકીય વેચવાલી, ડે હાઈથી 390 પોઇન્ટ ઘટીને બંધ
- ગુરુવારે સેમી કંડક્ટર શેરોમાં જોવાયો 10 ટકા સુધીનો ઉછાળો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
