KuberaNowLogo
Monday, 31/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

જૂનો ફોન-ફર્નિચર વેચવા પર ટેક્સ નહીં, જ્વેલરીના નફા પર લાગશે ટેક્સ

આવકવેરાના નિયમોમાં રોજિંદા વ્યક્તિગત ઉપયોગની કેટલીક વસ્તુઓને ‘Personal Effects’ ગણવામાં આવે છે, જેના વેચાણ પર થયેલો નફો કેપિટલ ગેઇન હેઠળ આવતો નથી. પરંતુ જ્વેલરી, પેઇન્ટિંગ અને કેટલીક અન્ય વસ્તુઓ માટે આ છૂટ મળતી નથી.

KuberaNow
desk@kuberanow21 Aug 2026
InstagramFacebookXLinkedIn
Money
જૂની ઘરવખરી અને મોબાઇલ પર ટેક્સ નહીં, જ્વેલરીના નફા પર લાગશે કરAI GENERATED IMAGE

ઘરમાં ઉપયોગમાં લેવાતો જૂનો મોબાઇલ, લેપટોપ, ફર્નિચર કે વાહન વેચવાથી મળતી રકમ પર દરેક વખતે આવકવેરો ચૂકવવો પડે એવું નથી. આવકવેરાના નિયમો હેઠળ વ્યક્તિ અથવા તેના આશ્રિત પરિવારના સભ્યોના રોજિંદા ઉપયોગ માટે રાખવામાં આવેલી કેટલીક ચલ સંપત્તિને ‘Personal Effects’ તરીકે ગણવામાં આવે છે અને તેના વેચાણથી થયેલો નફો મૂડી નફાવેરાને (Capital Gain Tax) પાત્ર નથી . જોકે સોના-ચાંદીની જ્વેલરી સહિત કેટલીક કિંમતી વસ્તુઓ માટે આ છૂટ ઉપલબ્ધ નથી.


કઈ વસ્તુઓના વેચાણ પર ટેક્સ નહીં?

રોજિંદા વ્યક્તિગત ઉપયોગમાં લેવાતાં કપડાં, ફર્નિચર, વાસણો તેમજ મોબાઇલ ફોન અને લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક્સને ‘Personal Effects’ તરીકે ગણવામાં આવી શકે છે. આ કેટેગરીમાં આવતી વસ્તુઓના વેચાણથી થયેલા નફા પર કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી.


જ્વેલરી ‘Personal Effects’માં સામેલ નથી

સોનું, ચાંદી, પ્લેટિનમ અથવા અન્ય કિંમતી ધાતુઓમાંથી બનેલી જ્વેલરીને Personal Effectsની છૂટ મળતી નથી. કિંમતી અને અર્ધકિંમતી પથ્થરો પણ ટેક્સના હેતુ માટે જ્વેલરીમાં સામેલ થાય છે. પુરાતત્ત્વ સંગ્રહ, ડ્રોઇંગ, પેઇન્ટિંગ, મૂર્તિઓ અને અન્ય કલાત્મક વસ્તુઓના વેચાણથી નફો થાય તો તે પણ ટેક્સપાત્ર બની શકે છે.


કિંમતી ધાતુ લગાવેલી વસ્તુઓ પર પણ નિયમ લાગુ

ફર્નિચર, વાસણ કે કપડાંમાં કિંમતી ધાતુ અથવા કિંમતી-અર્ધકિંમતી પથ્થરો લગાવેલા હોય તો આવી વસ્તુઓને સામાન્ય Personal Effects તરીકે ગણવામાં આવતી નથી. એવી વસ્તુ વેચવાથી થયેલો નફો આવકવેરાના દાયરામાં આવી શકે છે.


જ્વેલરીમાં સંપૂર્ણ રકમ પર નહીં, નફા પર ટેક્સ

જ્વેલરી વેચવામાં આવકવેરો સંપૂર્ણ વેચાણ કિંમત પર નહીં પરંતુ થયેલા કેપિટલ ગેઇન પર ગણવામાં આવે છે. જ્વેલરી વારસામાં કે ભેટમાં મળી હોય તો કેપિટલ ગેઇનની ગણતરી વખતે આવકવેરાના નિયમો અનુસાર અગાઉના માલિકની ખરીદી કિંમત અને હોલ્ડિંગ પિરિયડ પણ ધ્યાનમાં લેવામાં આવી શકે છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ રિબેલેન્સિંગઃ સેબીની CASની આકરી કસોટી
  2. ઓગસ્ટમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો
  3. રોકાણકારો માટે: સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે
  4. યુએસ ફેડ રિઝર્વના સંકેતોના પગલે ગોલ્ડ-સિલ્વર ETFમાં ત્રણથી ચાર ટકાનો કડાકો

Economy

See more
  1. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
  2. યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
  3. ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
  4. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM