KuberaNowLogo
Monday, 31/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

CASમાં ગેરરીતિ કરશો તો ખેર નથી, SEBIની કડક ચેતવણી

SEBI ચેરમેન તુહિન કાંતા પાંડેએ Closing Auction Sessionમાં હેરફેર કરવાનો પ્રયાસ કરનાર સામે કડક અને તાત્કાલિક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

KuberaNow
desk@kuberanow19 Aug 2026
InstagramFacebookXLinkedIn
SEBI CAS
CASમાં ગેરરીતિ કરનાર સામે SEBI કરશે કાર્યવાહીAI GENERATED IMAGE

શેરબજારના Closing Auction Sessionમાં ગેરરીતિનો પ્રયાસ કરશે તો તેની સામે SEBI તરત અને કડક કાર્યવાહી કરશે. SEBI ચેરમેન તુહિન કાંતા પાંડેએ સ્પષ્ટ કર્યું કે નવી CAS વ્યવસ્થામાં જૂની VWAP આધારિત પદ્ધતિની સરખામણીએ ગેરરીતિ શોધવાની ક્ષમતા વધુ છે. તેમણે બજાર સાથે સંકળાયેલા તમામ પક્ષોને CASનો દુરુપયોગ કરીને તેને બદનામ કરવાનો પ્રયાસ ન કરવા ચેતવણી આપી છે.


CASમાં ગેરરીતિ ઝડપથી પકડાશે

SEBI ચેરમેને જણાવ્યું કે CAS હેઠળ SEBI પાસે બજારની ગેરરીતિ ઓળખવા માટે વધુ સારી ક્ષમતા છે. તેમના જણાવ્યા મુજબ જૂની VWAP પદ્ધતિની સરખામણીએ CASમાં હેરફેર શોધવી વધુ સરળ બની છે. તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે નિયમનકાર તાત્કાલિક પગલાં લઈ શકે છે.

પારદર્શક ક્લોઝિંગ ભાવ માટે નવી વ્યવસ્થા

CASનો હેતુ શેરના દિવસના અંતિમ ભાવને વધુ પારદર્શક અને યોગ્ય રીતે નક્કી કરવાનો છે. આ પદ્ધતિ હેઠળ એક અલગ 20 મિનિટનું ઓક્શન સેશન યોજાય છે, જેમાં ખરીદી અને વેચાણના ઓર્ડર એકત્ર કરીને એવો ભાવ નક્કી કરવામાં આવે છે જ્યાં સૌથી વધુ વોલ્યુમનું ટ્રેડિંગ થઈ શકે.


જૂની VWAP પદ્ધતિનું સ્થાન લીધું

અગાઉ શેરનો ક્લોઝિંગ ભાવ નિયમિત ટ્રેડિંગના છેલ્લા 30 મિનિટના સરેરાશ ભાવના આધારે નક્કી થતો હતો. નવી CAS વ્યવસ્થાએ આ પદ્ધતિનું સ્થાન લીધું છે. તેનો હેતુ ખાસ કરીને મોટા ઓર્ડર માટે વધુ યોગ્ય ભાવ નક્કી કરવો અને ક્લોઝિંગ પ્રક્રિયામાં પારદર્શકતા વધારવી છે.


કેટલાક રોકાણકારોએ ચિંતા વ્યક્ત કરી

નવી પદ્ધતિ અમલમાં આવ્યા બાદ બજારમાં ભાગીદારી ઓછી થવા અને કેટલાક રોકાણકારોને નુકસાન થવાની ચિંતા પણ સામે આવી છે. ત્યારે આ દરમિયાન SEBI ચેરમેને સ્પષ્ટ ચેતવણી આપી છે કે CASમાં હેરફેર કરી આ વ્યવસ્થાને નિષ્ફળ બનાવવાનો અથવા તેની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ રિબેલેન્સિંગઃ સેબીની CASની આકરી કસોટી
  2. ઓગસ્ટમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો
  3. રોકાણકારો માટે: સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે
  4. યુએસ ફેડ રિઝર્વના સંકેતોના પગલે ગોલ્ડ-સિલ્વર ETFમાં ત્રણથી ચાર ટકાનો કડાકો

Economy

See more
  1. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
  2. યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
  3. ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
  4. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM