સુરત-ઉદયપુર વચ્ચે નવી વંદે ભારતને મળી મંજૂરી, સપ્તાહમાં 6 દિવસ દોડશે
રેલવે મંત્રાલયે સુરતથી ઉદયપુર વચ્ચે નવી Vande Bharat Express ચલાવવાની મંજૂરી આપી છે. ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે અને મંગળવારે બંધ રહેશે.

સુરત અને ઉદયપુર વચ્ચે નવી Vande Bharat Express દોડાવવાની રેલવે મંત્રાલયે મંજૂરી આપી છે. નવી ટ્રેન સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે દોડશે, જ્યારે દર મંગળવારે જાળવણી માટે સેવા બંધ રહેશે. આ ટ્રેનથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના મુસાફરોને રાજસ્થાનના ઉદયપુર સુધી સીધી અને ઝડપી રેલ જોડાણની નવી સુવિધા મળશે.
સુરતથી ઉદયપુરનું સમયપત્રક
ટ્રેન નંબર 26903 સુરત રેલવે સ્ટેશનથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે. ઉદયપુરથી ટ્રેન નંબર 26904 બપોરે 3:35 વાગ્યે ઉપડશે અને રાત્રે 11:00 વાગ્યે સુરત પહોંચશે.
કયા સ્ટેશનો પર રહેશે સ્ટોપેજ?
ટ્રેન માર્ગમાં કુલ 9 સ્ટેશનો પર રોકાશે. ગુજરાતમાં ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર અને શામળાજી ખાતે સ્ટોપેજ રહેશે. રાજસ્થાનમાં ડુંગરપુર અને ઝવેર સ્ટેશનનો સમાવેશ થાય છે.
8 કોચ સાથે દોડશે ટ્રેન
રેલવે બોર્ડના આદેશ મુજબ સુરત-ઉદયપુર Vande Bharat Express 8 કોચ સાથે ચલાવવામાં આવશે.ટ્રેનની મુખ્ય જાળવણી સુરત ખાતે કરવામાં આવશે, જ્યારે વડોદરા અને અસારવા ખાતે પાણી ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.
ટ્રેન ક્યારથી શરૂ થશે?
ટ્રેન ચલાવવાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ નિયમિત સેવા શરૂ કરવાની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. અહેવાલ મુજબ નવરાત્રિ પહેલાં સેવા શરૂ થવાની શક્યતા છે, જોકે અંતિમ તારીખ માટે રેલવેની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.
અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો
સાથે સાથે અમને ફોલો કરો
https://www.instagram.com/kuberanow/
https://www.facebook.com/profile.php?id=61590120462544
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
https://www.youtube.com/@KuberaNow


