KuberaNowLogo
Tuesday, 01/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સુરત-ઉદયપુર વચ્ચે નવી વંદે ભારતને મળી મંજૂરી, સપ્તાહમાં 6 દિવસ દોડશે

રેલવે મંત્રાલયે સુરતથી ઉદયપુર વચ્ચે નવી Vande Bharat Express ચલાવવાની મંજૂરી આપી છે. ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે અને મંગળવારે બંધ રહેશે.

KuberaNow
desk@kuberanow1 Sept 2026
InstagramFacebookXLinkedIn
Train
સુરત-ઉદયપુર Vande Bharatને લીલી ઝંડી, સપ્તાહમાં 6 દિવસ દોડશે ટ્રેનAI GENERATED IMAGE

સુરત અને ઉદયપુર વચ્ચે નવી Vande Bharat Express દોડાવવાની રેલવે મંત્રાલયે મંજૂરી આપી છે. નવી ટ્રેન સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે દોડશે, જ્યારે દર મંગળવારે જાળવણી માટે સેવા બંધ રહેશે. આ ટ્રેનથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના મુસાફરોને રાજસ્થાનના ઉદયપુર સુધી સીધી અને ઝડપી રેલ જોડાણની નવી સુવિધા મળશે.


સુરતથી ઉદયપુરનું સમયપત્રક

ટ્રેન નંબર 26903 સુરત રેલવે સ્ટેશનથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે. ઉદયપુરથી ટ્રેન નંબર 26904 બપોરે 3:35 વાગ્યે ઉપડશે અને રાત્રે 11:00 વાગ્યે સુરત પહોંચશે.


કયા સ્ટેશનો પર રહેશે સ્ટોપેજ?

ટ્રેન માર્ગમાં કુલ 9 સ્ટેશનો પર રોકાશે. ગુજરાતમાં ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર અને શામળાજી ખાતે સ્ટોપેજ રહેશે. રાજસ્થાનમાં ડુંગરપુર અને ઝવેર સ્ટેશનનો સમાવેશ થાય છે.


8 કોચ સાથે દોડશે ટ્રેન

રેલવે બોર્ડના આદેશ મુજબ સુરત-ઉદયપુર Vande Bharat Express 8 કોચ સાથે ચલાવવામાં આવશે.ટ્રેનની મુખ્ય જાળવણી સુરત ખાતે કરવામાં આવશે, જ્યારે વડોદરા અને અસારવા ખાતે પાણી ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.


ટ્રેન ક્યારથી શરૂ થશે?

ટ્રેન ચલાવવાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ નિયમિત સેવા શરૂ કરવાની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. અહેવાલ મુજબ નવરાત્રિ પહેલાં સેવા શરૂ થવાની શક્યતા છે, જોકે અંતિમ તારીખ માટે રેલવેની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.


અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો

સાથે સાથે અમને ફોલો કરો

https://kuberanow.com/

https://www.instagram.com/kuberanow/

https://www.facebook.com/profile.php?id=61590120462544

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

https://www.youtube.com/@KuberaNow

https://x.com/KuberaNow17430


આ પણ વાંચો: ડિફેન્સ ક્ષેત્રમાં FDI નિયમોમાં વધુ છૂટની તૈયારી, 2029 સુધી ₹50,000 કરોડ નિકાસનું લક્ષ્ય

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય શેરબજાર ફ્લેટ ખૂલ્યા પછી 200 પોઇન્ટ ડાઉન થયા પછી પોઝિટિવ ઝોનમાં
  2. Stocks In News |1 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  3. MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ રિબેલેન્સિંગઃ સેબીની CASની આકરી કસોટી
  4. ઓગસ્ટમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો

Economy

See more
  1. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
  2. યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
  3. ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
  4. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. કરદાતાઓએ બનાવ્યો રેકોર્ડ, 31 ઓગસ્ટ સુધી 7.8 કરોડથી વધુ ITR ફાઈલ
  2. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  3. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  4. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM