KuberaNowLogo
Thursday, 17/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Tata Sonsનું બોર્ડ એન. ચંદ્રશેખરનને પદ છોડવાનો નિર્ણય બદલવા વિનંતી કરે તેવી શક્યતા

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ ફરી નિયુક્તિ નહીં લેવાના નિર્ણય પર પુનર્વિચાર કરે તેવી બોર્ડ વિનંતી કરી શકે છે. RBIએ ટાટા સન્સની નોંધણી રદ કરવાની અરજી નામંજૂર કર્યા બાદ બોર્ડની બેઠકમાં નેતૃત્વ અને ભવિષ્યની યોજના પર ચર્ચા થશે.

KuberaNow
kuberanowPublished On : 16 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
tata sons chandrashekaran
AI GENERATED

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ પોતાના પદ પર ફરી નિયુક્તિ ન લેવાના નિર્ણય પર પુનર્વિચાર કરે તેવી શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ટાટા સન્સનું બોર્ડ ચંદ્રશેખરનને નિર્ણય બદલવા માટે વિનંતી કરી શકે છે. આ મુદ્દે 17 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનારી બોર્ડ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ટાટા સન્સ સામે RBIના તાજેતરના નિર્ણય બાદ નવી પરિસ્થિતિ ઊભી થઈ છે.


RBIના નિર્ણય બાદ વધ્યા પડકારો

ટાટા સન્સે માર્ચ 2024માં દાખલ કરેલી પોતાની Core Investment Company (CIC) નોંધણી રદ કરવાની અરજી ગયા સપ્તાહે RBIએ નામંજૂર કરી હતી. આ નિર્ણય બાદ ટાટા સન્સ, જે RBIના નિયમો હેઠળ એક Upper Layer NBFC તરીકે વર્ગીકૃત છે, તેને ફરજિયાત જાહેર લિસ્ટિંગ માટે તૈયારી કરવી પડી શકે છે.


ચંદ્રશેખરનનો નિર્ણય

એન. ચંદ્રશેખરને 12 ઓગસ્ટે બોર્ડને જાણ કરી હતી કે તેઓ ફેબ્રુઆરી 20, 2027 બાદ ફરી નિયુક્તિ માટે પોતાનું નામ રજૂ નહીં કરે. તેમણે જણાવ્યું હતું કે પાંચ વર્ષના કાર્યકાળના વિસ્તરણ માટે બોર્ડમાં સર્વસંમતિનો અભાવ હતો. આ પ્રસ્તાવને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ તરફથી ભલામણ મળી હતી અને નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટીએ પણ સમર્થન આપ્યું હતું.


આ પણ વાંચો: Asia Richest Person: TikTokના ફાઉન્ડર બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, ગૌતમ અદાણીને છોડ્યા પાછળ


નેતૃત્વ બદલાવ અંગે ચર્ચા

ચંદ્રશેખરન ટાટા ગ્રુપ સાથે લગભગ 40 વર્ષથી જોડાયેલા છે અને 2017થી ટાટા સન્સનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે બોર્ડને નવા ઉત્તરાધિકારીની પસંદગી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું જેથી નેતૃત્વ પરિવર્તન સરળ રીતે થઈ શકે. સૂત્રોની માહિતી અનુસાર, ટાટા ગ્રુપના કેટલાક લોકો હાલના પડકારોને જોતા નેતૃત્વમાં સતતતા જાળવવાના પક્ષમાં છે. બીજી તરફ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અગાઉ ચંદ્રશેખરનના નિર્ણયનું સન્માન કરતા નવા ઉત્તરાધિકારી માટે પસંદગી પ્રક્રિયા શરૂ કરવાની વાત કરી હતી.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM